સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 4th January 2018

લીંબડી પાસે અકસ્માતમાં ૩નાં મોતથી અરેરાટી

 વઢવાણ : રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર કાલે મોડી સાંજના કારનું વ્હીલ ફાટતા કાર પલ્ટી જવાથી ૩ વ્યકિતના મોતથી અરેરાટી વ્યાપી ગઇ છે આ અકસ્માતમાં બે દંપતિ ખંડિત થતા ઘેરો શોક છવાયો છે. આ અકસ્માતમાં મુળ કચ્છના હાલ હૈદરાબાદ સ્થિત પટેલ પરિવારના ૩ વ્યકિતના મોત નીપજયા હતાં. મૃતકોમાં લલીતભાઇ પટેલ (ઉ.૩૪) દિપાલીબેન પટેલ (ઉ.ર૮), કિર્તીબેન પટેલ (ઉ.૩૭) ના મોત નીપજયા હતા જયારે રાજશેખરભાઇ (ઉ.૩૩), કિરણભાઇ (ઉ.૩પ), મુસ્કાનબેન (ઉ.૩૪) ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે.  (તસ્વીર - અહેવાલ : ફઝલ ચૌહાણ -વઢવાણ)

(3:53 pm IST)