મોરબીના રાજકીય - સામાજિક આગેવાનોએ હાર્દિક પટેલ સાથે અમદાવાદમાં મુલાકાત કરી
મોરબી તા. ૩ : મોરબીના રાજકીય આગેવાનો ગીરીશભાઈ ઘેલાણી, મહેશ ભાઈ રાજયગુરૂ, ચંદ્રવદન ભાઈ પુજારા, હરીલાલ દસાડીયા સહીતનાઓએ અમદાવાદ મુકામે પાટીદાર અનામત આંદોલન સમિતી ના સુપ્રીમો હાર્દીક પટેલ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી સમયમા હાર્દીક પટેલ દ્વારા ફરીથી આંદોલનને વેગવંતુ બનાવવા નુ જાહેર કરવા મા આવ્યુ છે ત્યારે પાટીદાર આંદોલનનુ એ.પી. સેન્ટર ગણાતા મોરબી જીલ્લાના આગેવાનોએ કરેલી મુલાકાત સુચક માનવામા આવી રહી છે.
મુલાકાત કરનાર તમામ આગેવાનો મોરબી નગરપાલીકામા રચાયેલ વિકાસ સમિતીના પ્રણેતા છે તેથી આગામી સમય મા મોરબીના સ્થાનીક રાજકારણમાં ઉથલ પાથલ થવાની પ્રબળ શકયતાઓ સેવાય રહી છે.
આ અંગે જે પાલિકાના ૧૨ બાગી સભ્યો હતો તેના પરથી પક્ષાતર ધારો દુર કરવામાં આવે અને ફરી કોંગ્રેસ સતાની ધુરા હાથમાં સંભાળે તેવી પણ ચર્ચા થઈ હોવાનું મનાય રહ્યું છે.