દાઉદી વ્હોરા સમાજના બન્ને ધર્મગુરૂઓના મિલાદ મુબારક(જન્મદિન) રવિવારે શાનદાર રીતે સુરતમાં ઉજવાશે
શોભાયાત્રા નિકળશેઃ શનિવારે સમુહશાદીનું પણ આયોજન
રાજકોટ,તા.૩ : બાવનદાઈ અલ હૈયુલ મુકદસ ડો.સૈયદના મોહમ્મદ બુરહનુદ્દીન સાહેબ (રી.અ.)ના ૧૦૭માં મિલાદ મુબારક અને ત્રેપનદાઈ દાઈઝઝમાન ડો.સૈયદના આલી કદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.) ના ૭૪માં મિલાદ મુબારક (જન્મદિવસ) તા.૭ રવિવારના રોજ આવે છે. આ મિલાદ મુબારક પ્રસંગે ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) સુરત મુકામે જશે.
વિશ્વભરમાંથી હજજારોની સંખ્યામા દાઉદી વ્હોરા સમાજના ભાઈઓ- બહેનો- બાળકો સુરત મુકામે જશે. ભવ્ય શાનદાર પ્રોશેસન (શોભાયાત્રા) નિકળશે. તેમજ ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.) આ મુબારક દિવસે વાઅઝ ફરમાવશે. સુરત શહેરમા તા.૬ શનિવારના રોજ આયોજન થયું છે. આ રસ્મે સૈફી માટે તૈસીરૂન નિકાહ કમીટી હકામી મંજીલ, કાદરી હોલ સામે, બેગમપુરા, ઝાંપા બજાર, સુરત ખાતે યોજાએલ છે. સમુહશાદીમા ભાગ લેવા માટે પહેલા આઈ.ટી.એસ.મા રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે. www.its52.com. માં રજીસ્ટ્રેશન થાય છે. સુરત જનાર દરેકે દરેક સમાજના લોકો રજીસ્ટ્રેશન કરાવે તેમ શેખ યુસુફભાઈ જોહર કાર્ડઝ વાડાએ જણાવ્યું છે.