સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 3rd December 2022

ભાવનગરના અકવાડામાં તબીબના બંધ મકાનમાં અર્ધા લાખની ચોરી

ભાવનગર તા.૩ : તળાજા તાલુકાના મીઠીવીરડી ગામના વતની અને ભાવનગરના અકવાડા ગામ પાસે સીતારામ હોસ્‍પિટલ પાછળ રહેતા અને ખડસલીયા ગામમાં નેચરોપેથી તબીબ તરીકે પ્રેક્‍ટિસ કરતા અરવિંદભાઈ પ્રેમજીભાઈ દિહોરા તેમના પરિવાર સાથે તેમના વતન મીઠી વીરડી ગામમાં તેમના પિતરાઈ ભાઈના લગ્ન પ્રસંગે ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્‍કરોએ નિશાન બનાવ્‍યું હતું અને મકાનના મુખ્‍ય દરવાજાનું તાળું તોડી તિજોરીમાં રાખેલ સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. ૪૭,૨૦૦ ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

આ બનાવ અંગે અરવિંદભાઈ દિહોરાએ ઘોઘારોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્‍યા તસ્‍કરો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

(11:58 am IST)