News of Saturday, 3rd December 2022
જસદણ વીજ કચેરીના ઈલેક્ટ્રીશ્યન મુકેશભાઈનો વિદાય સમારોહ
(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ,તા.૩ : જસદણ શહેર સહિત તાલુકાનાં તમામ ગામોના અનેક લોકો સાથે સબંધ ધરાવતાં વીજ કચેરીના ઇલેક્ટ્રીશ્યન મુકેશભાઈ ભાનુશંકરભાઈ વ્યાસ (મો.૯૯૨૫૨૧૯૯૦૧) વય મર્યાદાના કારણે નિવળત્ત થયાં હતાં ગણતરીના દિવસોમાં તેમનો સ્ટાફ વિદાય સમારોહ યોજશે. હસમુખો, મળતાવડો સ્વભાવ ધરાવતાં મુકેશભાઈએ જેટલો ૧૩૨ કે વી જસદણમાં ઇલેક્ટ્રીશ્યન તરીકે રપ વર્ષ પોતાની ફરજ નિભાવી આ દરમિયાન તેમણે એકપણ ડાઘ લાગવા દીધો નથી ઊલ્ટાનું નોકરી દરમિયાન તેમણે તાલુકાભરના ગામોમાં સુવાસ ફેલાવી અનેક સબંધો કેળવ્યા હતાં.
(11:46 am IST)