વઢવાણમાં હઝરત સુલતાનશા પીર કાદરી ઉર્ફે ધોળાપીર દાદાના ઉર્ષ શરીફનો પ્રારંભ
(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા.૩ : સુરેન્દ્રનગર શહેરના વઢવાણ ખાતે કોમી એકતાના પ્રતીક સમાન હજરત સુલતાનશાપીર કાદરી ઉર્ફે ધોળાપીર દાદાની દરગાહ આવેલી છે જ્યાં કાલે ઉર્સ શરીફનો ભવ્ય પ્રોગ્રામનો પ્રારંભ કરવામાં આવે છે ત્યારે આજે સાંજના કુરાન શરીફના સીપારાનો દોર તેમજ મગરેની આજે શુક્રવારના રોજ સાંજના ચારથી રાત્રિના આઠ વાગ્યા સુધી તમામ લોકો માટે અને તમામ જ્ઞાતિના લોકો માટે ભવ્ય મહા-સાદની ની આજ નો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં વઢવાણના પીરે તરી કત હાજી સૈયદ અહેમદ હુસેન બામણીયા બાપુ ફારૂકીના હસ્તે તેમજ સૈયદ બાઉદીન બાપુ સૈયદ સબીરમીયા બાપુ મયુદ્દીન બાપુ હાજી સૈયદ અહેમદ હુસેન બાપુ હજરત પીર મહંમદ હુસેન બાપુ ચિસ્તીયા ફરીદિયા ફારૂકી ઝ મુસ્તાક હુસેનબાપુ સહિતના સૈયદ ઘરાના આજે સંદલ શરીફમાં જોડાશે અને ઉર્સ શરીફનું સંચાલન દિલાવર ખાન પઠાણ રહીમભાઈ કુંઢીયા હારુનભાઈ પઠાણ ઇરફાન અલારખા દિવાન તેમજ ધોળા પીર દરગા કમિટી ના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે અને કાર્યક્રમને સફળ બનાવી રહ્યા છે તો દરેક મુસ્લિમ હિન્દુ ભાઈઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને ભાગ લેવા અને સાથ સહકાર આપવા માટેની અપીલ કરવામાં આવી છે.