મોરબીના પંચાસર ગામે પિયરે જવા બાબતે પતિએ ઠપકો આપતા પત્નીનો કુવામાં પડી આપઘાત
(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૩ : મોરબીના પંચાસર ગામે રહેતા પતિએ પત્નીને પિયર જવા મામલે ઠપકો આપ્યો હતો જેથી મનમાં લાગી આવતા પત્નીએ વાડીના કુવામાં પડી આપઘાત કરી લીધો હતો.
મૂળ છોટા ઉદેપુરના વતની અને હાલ પંચાસર ગામની સીમમાં વાડીએ રહેતા ખારવીબેન નમલેશભાઈ રાઠવા (ઉ.વ.૩૪) નામની પરિણીતાએ વાડીની ઓરડીની બાજુમાં આવેલ કુવામાં કુદી આયખું ટુંકાવ્યું હતું જે બનાવને પગલે પોલીસે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી બનાવની વધુ તપાસ ચલાવી હતી જેમાં મૃતક તેના પતિ સાથે વતનમાં સાઢુભાઈના લગ્નમાં ગયેલ અને લગ્નમાં જવાને બદલે પિયરમાં જતા રહ્યા હોય જેથી વતનમાં તેના પતિએ ઠપકો આપ્યો હતો.
અને બાદમાં પંચાસર આવી જતા બધા સુઈ ગયા ત્યારે પરિણીતાને મનમાં લાગી આવતા કુવામાં કુદી જીવ દીધાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે મોરબી તાલુકા પોલીસે પરિણીતાના આપઘાતના બનાવ મામલે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.(