વિરપુરમાં વિકલાંગ પરમાનંદ ગૌસ્વામીએ હાથ ગુમાવ્યાં પણ હાથ નહિ પગેથી કર્યુ મતદાન
વીરપુર જલારામઃ કહેવાય છેને કે મન હોય તો માળવે જવાય એ કહેવતને સાર્થક કરતા વિરપુર જલારામધામ ગામના મતદાર પરમાનંદ સચિદાનંદ ગૌસ્વામીને યુવાનીમાં વીજ શોક લાગતા બન્ને હાથ ગુમાવ્યા પડયા હતા ત્યારે બન્ને હાથ ગુમાવનાર પરમાનંદ ગૌસ્વામીએ હિંમત ન હારી હતી અને પોતાના પગથી બધા કામ કરવામાં માહિર થઇ ગયા અને પગથી જ પોતાના જીવનમાં બધા કામ કરવા લાગ્યા જેમાં તે પગથી પોતાની સાઇન તેમજ પગથી જ ઘરકામ કરે છે ત્યારે આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે જેમને લઈને જેતપુર જામકંડોરણા ૭૪ બેઠકના મતદાનમાં વિરપુર ખાતે પોતાના પગથી મતદાન કરી પોતાની મતદાર તરીકેની ફરજ બજાવી હતી અને લોકોને સંદેશો આપ્યો હતો કે પોતે હાથ નથી છતાં પગથી મતદાન કર્યું છે તો લોકોએ પોતાના મતદાન અધિકારની ફરજ બજાવી જોઈએ.(તસ્વીરઃ કિશન મોરબીયા)