જૂનાગઢમાં યાત્રાનું કોમી એકતા - રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા સ્વાગત
અષાઢી બીજ નિમિતે પરંપરાગત રીતે નીકળતી ભગવાન શ્રી જગન્નાથજીની નગરયાત્રા વરસતા વરસાદમાં નીકળી હતી. જેના દર્શનનો લાભ અસંખ્ય ભાવિકોએ લીધો હતો. દરમિયાન આ રથયાત્રાનું સેજનાં ઓટા પાસે કોમી એકતા રાષ્ટ્રીય એકતા સમિતિ દ્વારા પુષ્પોની વર્ષા કરી સ્વાગત કરવામાં આવેલ. જેમાં સમિતિના બટુકભાઈ મકવાણા, મુન્ના બાપુ દાતાર વાલા, વહાબભાઈ કુરેશી, જિશાન હાલેપોત્રા એડવોકેટ, કાસમભાઈ જુનેજા, શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા, ભૂત પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, મયુરભાઈ પઠાણ, બાર એસોસિયેશનના જયદેવભાઈ જોશી, જૂનાગઢ શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ વર્ષાબેન રાદડીયા, નગર સેવક આરતીબેન જોશી, હિતેનભાઈ ઉદાની, અશોકભાઈ ભટ્ટ, ભૂતપૂર્વ મેયર આદ્યશક્તિબેન મજમુદાર, કાદુભાઇ, સોહેલ સિદ્દીકી સહિતના જોડાયા હતા