News of Saturday, 2nd July 2022
જુનાગઢમાં નિવૃત જમાદાર હમીદખાન પઠાણનું પડી જતાં ઇજા થવાથી મોત
બી-ડિવીઝન પોલીસ સ્ટેશન પાસે ચાલીને જતા'તા ત્યારે બનાવ
રાજકોટ તા. ૨: જુનાગઢમાં રહેતાં નિવૃત જમાદારનું પોલીસ સ્ટેશન નજીક ચાલતા ચાલતાં પડી જવાથી માથામાં ઇજા થતાં મોત નિપજતાં પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.
જુનાગઢમાં જાલોરાપા રોડ પર અબરાર એપાર્ટમેન્ટમાં રહેતાં હમીદખાન બાદરખાન પઠાણ (ઉ.વ.૬૭) ગકઇાલે સવારે ઘરેથી ચાલીને આટો મારવા નીકળ્યા ત્યારે બી-ડિવીઝન પોલીસ સ્ટેશન નજીક ચક્કર આવતાં પડી જતાં માથામાં ઇજા થતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોડી રાતે દમ તોડી દીધો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે કાગળો કરી જુનાગઢ પોલીસને મોકલ્યા હતાં. મૃત્યુ પામનાર હમીદખાનને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. તેઓ નિવૃત હેડકોન્સ્ટેબલ હતાં.
(1:01 pm IST)