મીઠાપુર : ભરણપોષણ મંજૂર કરતી ખંભાળીયાની ફેમીલી કોર્ટ
(દિવ્યેશ જટણીયા દ્વારા) મીઠાપુર,તા. ૨ : ખંભાળીયા તાલુકાના ભરાણા ગામે રહેતા શહેનાજ શબીર ચમડીયાના ભરાણા ગામે રહેતા શબીર જુનસ ચમડીયા સાથે લગ્ન થયેલ હતા. લગ્ન જીવન દરમ્યાન બે સંતાનોનો જન્મ થયેલ હતો. અને લગ્ન જીવન દરમ્યાન શહેનાજબેનને શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી ઘરમાંથી સગીર સંતાનોની સાથે પતિ દ્વારા કાઢી મૂકવામાં આવતા શહેનાજબેન દ્વારા પોતાનું તથા પોતાના બે સગીર સંતાનોનું ભરણપોષણ મેળવવા માટે ખંભાળીયાની પ્રિન્સીપલ ફેમીલી જજ સાહેબની કોર્ટમાં અરજી કરતાં અરજદારનાં એડવોકેટ મોહમદહની કે. સોઢાની દલીલો ધ્યાને લઇ અરજદારની અરજી મંજૂર થયેલ અને અરજદાર શહેનાજબેન તથા તેમના બે સગીર સંતાન સહિત કુલ રૂા. ૮૦૦૦ ભરણપોષણ નામદાર કોર્ટે મંજૂર કરેલ છે.
આ કેસમાં અરજદાર શહેનાજબેન તરફે એડવોકેટ મોહમદહનીફ કે.સોઢા તથા ફાલ્ગુનીબેન બારોટ તથા મદદમાં હિતેષ રાયચુરા રોકાયેલ હતા.