સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st July 2022

મોરબીના કેરાળા ગામની સીમમાં મહિલાની હત્યા કરી મૃતદેહ ત્યજી દીધાની ફરિયાદ

પીએસઆઈ ફરિયાદી બની હત્યાની ફરિયાદ નોંધાવી

મોરબીના કેરાળા ગામની સીમમાં કેનાલમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જે મહિલાના શરીર પર ઈજાના નિશાનો મળી આવતા હત્યાની શંકા ઉપજી હતી જેથી તાલુકા પીએસઆઈ જાતે ફરિયાદી બની હત્યાની ફરિયાદ નોંધાવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબી તાલુકા પોલીસ મથકના પીએસઆઈ વી બી પીઠીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે કેરાળા ગામની સીમમાં કેનાલમાંથી અજાણી અંદાજે ૨૫ થી ૩૦ વર્ષની વયની મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો જે મહિલાને કોઈ કારણોસર અજાણ્યા ઇસમેં માથાના પાછળના ભાગે બોથડ પદાર્થ મારી તેમજ ગળું દબાવી ગળાના ભાગે તીક્ષ્ણ હથિયાર મારી ઈજા કરી મોત નીપજાવ્યું હતું મોરબી તાલુકા પોલીસે હત્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ તાલુકા પીઆઈ વિરલ પટેલ ચલાવી રહ્યા છે.

(12:56 am IST)