વડિયા પોલીસ સ્ટેશનમાં શાંતિ સલામતીની બેઠક નવનિયુકત પીએસઆઇ ચાવડાની ઉપસ્થિતીમાં યોજાઇ
(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા.૨: અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં છેલ્લા થોડા સમયમાં ક્રાઇમનુ પ્રમાણ વધતા જિલ્લા પોલીસ વડા દ્વારા નવ નિયુક્ત પીએસઆઇ ચાવડાને વડિયાનુ સુકાન સોંપતા તેમના દ્વારા આવનારા સમયમાં રમજાન ઈદ અને પરશુરામ જયંતિના તહેવાર આવતા હોય ત્યારે હિન્દૂ - મુસ્લિમ લોકોમાં ભાઈ ચારા થી તહેવાર ઉજવવામાં આવે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે મિટિંગ બોલવાઈ હતી. જેમાં હિન્દૂ સંગઠનના આગેવાનો,મુસ્લિમ સમાજ ના આગેવાનો,વેપારી આગેવાનો, પત્રકારો સહીતનાએ હાજરી આપી હતી. આ ઉપરાંત નવ નિયુક્ત પીએસઆઇ ચાવડા દ્વારા આગેવાનોને પોતાનો નંબર આપી કોઈ અસામાજિક પ્રવૃતિ, દારૂ, જુગાર, સટ્ટા, દાદાગીરી જેવી ઘટનાઓ કે પ્રવૃતિની જાણ કરવા પણ અનુરોધ કર્યો હતો સાથે વડિયામાં સુલેહ શાંતિ જળવાય અને કોઈ ક્રાઇમ બાબતની ઘટનાઓ ના બને તે માટે સતત કાર્યશીલ રહેવાની ખાત્રી આપી હતી.