સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 2nd February 2023

જુનાગઢના રામવાડીયા જટાશંકર મહાદેવ મંદિરના મહંત દ્વારા દશ મહાવિદ્યા મહારૂદ્ર યજ્ઞની શુક્રવારે પૂર્ણાહૂતિ

જુનાગઢ : જુનાગઢ ગાયત્રી મંદિર સામે આવેલ રામવાડીયામાં જટાશંકર મંદિરના મહંત પૂણાનંદજી મહારાજ દ્વારા દશમહાવિદ્યા એવમશ્રી મહારૂદ્રયજ્ઞ ગુરૂજી જીતેન્‍દ્ર ત્રિવેદીના અધ્‍યક્ષતામાં આ યજ્ઞમાં શુક્રવારે પૂર્ણાહૂતી થશે. જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી તેમજ ન્‍યુઝીલેન્‍ડથી પધારેલ તેમના પુત્ર વિરલકુમાર જોષી અભિષેક-સૂર્યકાન્‍તભાઇ જોષી તથા મૈત્રય જોષી અપૂર્વભાઇ તેમજ જુનાગઢના પૂર્વ ડેપ્‍યુટી મેયર હિમાન્‍સુ પંડયા વર્ધમાન મોટર્સના માલિક જયેશભાઇ દોશી તેમજ જુનાગઢ જીલ્લા સમસ્‍ત બ્રહ્મ સમાજના પ્રમુખ કે.ડી. પડયા શહેર પ્રમુખ પ્રફુલભાઇ જોષી, હસુભાઇ જોષી શૈલેષ પંડયા, ચેતન મહારાજ શાષાી ડો. જીતુ નિમ્‍બાર્ક વગેરે ઉપસ્‍થિત રહી ધર્મલાભ લીધો હતો. (અહેવાલ વિનુ જોષી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(12:30 pm IST)