સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 1st December 2022

પુ.શ્રી પ્રમુખ સ્‍વામી મહારાજની આજે જન્‍મજયંતિ

વાંકાનેર, તા.૧: BAPS સંસ્‍થાના વિશ્વ વંદનીય બ્રહ્મસ્‍વરૂપ પ. પૂજ્‍ય શ્રી પ્રમુખ સ્‍વામી મહારાજનો આજે (૧૦૧મો) જન્‍મદિવસ તિથિ પ્રમાણે છે પૂજ્‍ય પ્રમુખ સ્‍વામી મહારાજશ્રીએ ૧૧૦૦ થી વધારે બી.એ.પી.એસ સ્‍વામિનારાયણ મંદિર બનાવેલ છૅ તૅમજ તેમને સમગ્ર વિશ્વમાં લાખો લોકોને વ્‍યસન મુક્‍ત કર્યા છૅ અને યુવાનોને વ્‍યસન મુકત કરી સત સેવાનો માર્ગ બતાવેલ છૅ તેમના જીવનમાં સત ધર્મના અજવાણા પૂર્યા છે અને અસંખ્‍ય સંતોને દીક્ષા આપેલ છે તૅમજ લાખો હરી ભક્‍તોને લેટર લખેલ છૅ પૂજ્‍ય પ્રમુખ સ્‍વામી મહારાજનો જીવન સૂત્ર હતો. બીજાના ભલામાં આપણુ ભલું છૅ બીજાના ઉત્‍કળષમાં આપણો ઉત્‍કળષ છે તેવોએ પોતાના જીવન દરમ્‍યાન અનેક માનવ સેવાના ભગીરથ કાર્યો કરેલા હતા સમગ્ર વિશ્વમાં પૂજ્‍ય બાપાએ પ્રગટાવેલી સેવા અને ધર્મની જ્‍યોત અજેય ઝલહળી રહેલ છૅ આજૅ પૂજ્‍ય પ્રમુખ સ્‍વામી મહારાજશ્રીનો ( ૧૦૧ મો જન્‍મદિવસ) હોય તેમના જન્‍મોત્‍સવ નિમિતે સમગ્ર BAPS મંદિરમાં પૂજ્‍ય બાપાનું વિશેષ પૂજન, અર્ચન કરવામાં આવેલ છૅ અને જોડિયાના ભાદરા ખાતે આવેલ શ્રી ગુણાતીત સ્‍વામીના જન્‍મભૂમિ BAPS મંદિર ખાતે પૂજ્‍ય પ્રમુખ સ્‍વામી મહારાજશ્રીનું વિશેષ પૂજન અર્ચન સંતો દ્વારા કરવામાં આવેલ હતુ બ્રહ્મસ્‍વરૂપ શ્રી પ્રમુખ સ્‍વામી મહારાજના આજૅ જન્‍મોત્‍સવ નિમિત્તે પૂજ્‍ય બાપાના ચરણોમાં કોટી કોટી વંદન.

(12:25 pm IST)