અમરેલીનાં ડાયનેમિક ગ્રુપ દ્વારા એનસીયુઆઇનાં ચેરમેન દિલીપ સંઘાણીનું સન્માન
સહકારી પ્રવૃતિમાં રાષ્ટ્રીય કક્ષાએ એક નવુ જ પરિવર્તન તથા ગતિ આવશે : હરેશ બાવીશી
(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી ,તા. ૧: અમરેલીના પનોતા ખેડૂત નેતા, રાષ્ટ્રીય સહકારી આગેવાન, નાફસ્કોબના ચેરમેન દિલીપભાઇ સંઘાણીએ નેશનલ કો-ઓપરેટીવ યુનિટન ઓફ ઇન્ડિયાની ચેરમેનની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરીને રાષ્ટ્રીય મહાસંઘના ચેરમેન તરીકે વરણી પામીને વતન અમરેલી આવતા તેમની સહકારી ક્ષેત્રમાં રાષ્ટ્રીય સિધ્ધી બદલ ડાયનેમિક ગ્રુપ -અમરેલી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ તકે ડાયનેમિક ગ્રુપના પ્રમુખ હરેશભાઇ બાવીશી, ગ્રુપના ટ્રસ્ટી અને માર્કેટ યાર્ડના ડાયરેકટર ચતુરભાઇ ખૂંટ, અગ્રણી ઉદ્યોગપતિ હીરેનભાઇ બાંભરોલીયા, રાજુભાઇ ગઢીયા, યુવા આગેવાન જય વઘાસિયા (જે.કે. મોટા આંકડીયા) વિ.એશ્રી દિલીપભાઇને બુક, હાર, શાલથી સન્માનિત કરીને રાષ્ટ્રીય ફલક પર અમરેલી અને ગુજરાતનું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપ્યા હતા. આ તકે ડાયનેમિક ગ્રુપના પ્રમુખ હરેશ બાવીશીએ જણાવ્યું હતું કે, શ્રી દિલીપભાઇ સંઘાણીને રાષ્ટ્રીય સહકારી મહાસંઘના ચેરમેનનું પદ મળવાથી આગામી દિવસોમાં સહકારી પ્રવૃતિમાં એક નવું જ પરિવર્તન તથા ગતિ આવશે તે વાત ચોક્કસ છે.