ભાવનગરનાં માલવણમાં પુત્રના હાથે માતાની હત્યા
માનસિક અસ્થિર જયેન્દ્રસિંહ ગોહીલે ૭પ વર્ષનાં માતા વસનબાની કયાં કારણથી હત્યા કરી? પોલીસ તપાસનો ધમધમાટ
તસ્વીરમાં માતાનો મૃતદેહ તથા પોલીસ અને તબીબો નજરે પડે છે. (તસ્વીર : મેઘના વિપુલ હિરાણી-ભાવનગર)
(મેઘના વિપુલ હીરાણી દ્વારા) ભાવનગર તા. ૧ :.. ભાવનગરનાં માલવણ ગામે પુત્રએ માતાની હત્યા કરી નાખ્યાનો બનાવ બનવા પામ્યો છે.
ખુનનાં આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જીલ્લાનાં સિહોર તાલુકાનાં માલવણ ગામે રહેતાં લીલુભા ગંભીરસિંહ ગોહીલનાં પત્ની વસનબા ઉ.૭પ ની તેનાં ઘરમાં હત્યા કરાયેલ હાલતમાં લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસમાં આ વૃધ્ધાની હત્યા તેના જ પુત્ર જયેન્દ્રસિંહએ કરી હોવાનું ખુલવા પામ્યું છે.
મૃતક વસનબાના પતિને આંખે ઓછુ દેખાય છે અને પુત્ર જયેન્દ્રસિંહ અસ્થિર મગજનો છે. કોઇ કારણોસર પુત્રએ માતાની હત્યા કરી રૂમને બહાર સાકળ મારી સિહોરની બજારમાં રખડતો હતો. પોલીસે આ અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.