સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 30th September 2022

મોરબીના અયોધ્યાપુરી રોડ પર ગટરના ખુલ્લા ખાડામાં કાર ફસાઈ

મોરબી શહેરનો અયોધ્યાપુરી રોડ તો નવો બનાવવામાં આવ્યો છે પરંતુ હજુ વાહનચાલકોની સમસ્યા પૂરી થઇ નથી અહી વરસાદી  પાણીના નિકાલ માટે કરેલા ખાડાનું ઢાંકણું કોઈ કાઢી ગયું હોય જેથી ખુલ્લા ખાડામાં અનેક વાહનો ફસાયા હતા

  જેમાં તાજેતરમાં અહીંથી પસાર થતી એક કારનું ટાયર ખાડામાં ઘુસી જતા કાર ફસાઈ હતી સ્થાનિક વેપારીના જણાવ્યા અનુસાર અવારનવાર ખુલ્લા ખાડામાં વાહનો ખાબકતા રહે છે આ બનાવમાં કોઈ જાનહાની કે ઈજા થવા પામી નથી પરંતુ અજાણ્યો વાહનચાલક હોય તો વાહનનું ટાયર ખાડામાં ઘુસી જાય છે જે ક્યારેક કોઈનો જીવ લે તે પૂર્વે સંબંધિત તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ કરી છે.

(12:22 am IST)