સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st July 2022

પોરબંદરમાં અષાઢી બીજે રામદેવજી મહાપ્રભુની વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી : ઠેર ઠેર સ્‍વાગત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૧ : સમસ્‍ત ખારવા સમાજ દ્વારા અષાઢી બીજે ખારવા પંચાયત મંદિરથી રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રા વાજતે ગાજતે નીકળીને શહેરના પરંપરાગત રૂટ ઉપર ફરી હતી.

રામદેવજી મહાપ્રભુની શોભાયાત્રામાં ખારવા સમાજના વાણોટ પવનભાઇ તથા પંચ પટેલોશ્રી આગેવાનો મોટી સંખ્‍યામાં જ્ઞાતિજનો જોડાયા હતા. શોભાયાત્રા પરત ખારવા પંચાયત મંદિર પાસે ફળિયામાં પ્રાચીન રામદેવજી મહાપ્રભુના મંદિરે આવી હતી અને બપોરે મહાઆરતી કરવામાં આવી હતી તેમજ ખારવાવાડ વાંદરા ચોકમાં મહાપ્રસાદ રાખેલ છે.

(2:09 pm IST)