સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 1st July 2022

વડિયામાં એસટી કર્મચારી મનોજ અઘેરાનો આપઘાત

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા. ૧ : વડિયા સદગુરુનગર વિસ્‍તારમાં રહેતા અને જેતપુર ખાતે એસટી ડેપોમાં નોકરી કરતા મનોજભાઈ દિનેશભાઈ અધેરા જાતે કોળી આજે સવારના સમયે પોતાની ઘરે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજયું હતું

જયારે આ મૃતકના ભાઈ પિન્‍ટુ દિનેશભાઈ અધેરાએ વડિયા પોલીસ સ્‍ટેશન ખાતે જાહેર કરેલ કે મનોજભાઈ છેલ્લા કેટલાક સમયથી માનસિક ટેન્‍શનમા હતા અને આજે તેણે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લેતા તેમનું મોત નિપજયું છે વડિયા પોલીસે હાલ એડી દાખલ કરી આગળની તપાસ આર બી મારૂ ચલાવી રહ્યા છે.

(10:16 am IST)