Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

દ્વારકામાં સોમવારે વિર દાદા જસરાજનો પુણ્યતિથિ ઉત્સવ

સમુહ નાત-જમણ, મોટર સાયકલ રેલી સહિતના કાર્યક્રમોઃ રઘુવંશી સમાજમાં અનેરો ઉત્સાહ

દ્વારકા તા. ર૦ :.. અહીયા ગૌરક્ષક ધર્મ રક્ષક અને શૌર્યના પ્રતિક સમા વીર દાદા  જસરાજની પુણ્યતિથીની આસ્થાભેર ઉજવણી કરાશે. જેમાં લોહાણા જ્ઞાતિ દ્વારા સમુહ નાત જમણ લોહાણા મહાજનવાડી, ગોમતી રોડ ખાતે તા. રર મીએ સાંજે  ૬ થી રાત્રે ૧૧ સુધી યોજાશે.

એવી જ રી તે લોહાણા સમાજના ઉત્સાહી આગેવાનો દ્વારા પાવન તિથીને યાદગાર બનાવવાના ભાગરૂપે રઘુવંશી સમાજની બાઇક રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે. જે રર મીએ સાંજે પ કલાકે લોહાણા મહાજનવાડીથી પ્રસ્થાન કરી શાક માર્કેટ ચોક, મંદિર ચોક, ભથાણ ચોક, કાનદાસબાપુ આશ્રમ થઇ જલારામ મંદિરે જશે. જયાં જલારામ બાપાના દર્શન કર્યા બાદ પરત ઇસ્કોન ગેઇટ, રબારી ગેઇટ, તીનબતી ચોક, હોમગાર્ડ ચોક થઇલોહાણા મહાજન વાડી ખાતે સંપન્ન થશે. સમુહ પ્રસાદી અને રેલીમાં સમસ્ત રઘુવંશી સમાજના ભાઇ-બહેનોને લાભ લેવા આમંત્રણ પાઠવાયું છે.

(11:20 am IST)