Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

પ્રાંસલા દુર્ઘટના અંગે ધોરાજી પ્રાંત કચેરીમાં આજે અને કાલે રજૂઆતોની સુનાવણી

રાજકોટ તા. ૧૮ :.. પ્રાંસલામાં બનેલી દુર્ઘટના અંગે આજે અને કાલે બે દિવસ સુધી રજૂઆતોની સુનાવણી થશે.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવાયા મુજબ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાંસલા ખાતે યોજાયેલ રાષ્ટ્ર કથા શિબીરમાં બનેલ દુર્ઘટના અંગે જે કોઇ વ્યકિતને કોઇપણ પ્રકારની જાણકારી, રજૂઆત, મૌખિક નિવેદન, આધાર પુરાવા કે સોગંદનામું રજૂ કરવા માગતા હોય તેમણે સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટની કચેરી, ગેલેકસી ચોક, ધોરાજી ખાતે આજે તા. ૧૮ અને કાલે તા. ૧૯ જાન્યુઆરી ર૦૧૮ ના બપોરે ૧ર થી સાંજના પ વાગ્યા સુધી હાજર રહી રજૂઆત કરવાની રહેશે. રાજકોટ જિલ્લા કલેકટર તરફથી ધોરાજીનાં પ્રાંત અધિકારીશ્રીને આ માટે નિયુકત કરાયા છે.  સત્તાવાર યાદીમાં જણાવાયું છે.

(3:20 pm IST)