Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

વેરાવળ-સોમનાથ સુત્રાપાડામાં વિજ દરોડોઃ ર૧ લાખની વિજ ચોરી ઝડપાઇ

વેરાવળ તા. ૧૮ :.. સોમનાથ સુત્રાપાડા વિસ્‍તારમાં વહેલી સવારે૬ વાગ્‍યામાં ગુજરાતભરની ૭૦ ટીમોએ અનેક વિસ્‍તારમાં વિજ ચેકીંગ હાથ ધરેલ હતું જે  સાંજે પ વાગ્‍યા સુધી ચાલેલ હતું તેમાં  ર૧ લાખ ૩૯ હજારની વિજ ચોરી ઝડપાયેલ હતી.

પીજીવીસીએલ. ના અધિકારીઓએ જણાવેલ હતું વડોદરા હેડ ઓફીસના માર્ગદર્શન હેઠળ ગુજરાતભરના અધિકારીઓની ૭૦ ટીમો પોલીસ બંદોબસ્‍ત સાથે વહેલી સવારે ૬ વાગ્‍યાથી વેરાવળમાં બહારકોટ, પટેલવાડા, તુરકચોરા, ખારવા વાડા, જાલેશ્વર, સોમનાથ ટોકીઝ વિસ્‍તાર, ભીડીયા પ્રભાસ પાટણ, સોમનાથ, લાટી, કદવાર, હરણાસા, ડારી, છાત્રોડા, નવાપરા વિસ્‍તારમાં આ ટીમોએ વિજ ચેકીંગ ચાલુ કરેલ હતું જે સાંજે પ વાગ્‍યા સુધી ચાલુ રહેલ હતું તેમાં ૧ર૮૮ મીટરોનું ચેકીંગ હાથ ધરાયેલ હતું તેમાંથી ૧૯૪ માં ગેરરીતિ જણાતા રૂ. ર૧ લાખ ૩૯ હજારના વિજ ચોરીના બીલો ફટકારેલ હતા તેમ જણાવેલ હતું અચાનક વિજ દરોડાના પડતા અનેક વિસ્‍તારમાં ફફડાટ ફેલાયેલ હતો અને અમુક લોકો તો ઘર બંધ કરીને નિકળી ગયેલ હતાં.

મહીલા બે બાળકો સાથે ગુમ

વેરાવળ ભાલપરા રોડ ઉપર ભાલકા સોસાયટીમાં રહેતી વિધવા મહીલા બે બાળકો સાથે ગુમ થઇ જતા તેને પિતાએ ફરીયાદ નોંધાવેલ છે.

આ બનાવની વિગત એવી છે કે તા. ૧પ ના રોજ જીઆઇડીસીમાં કેશોદવાલા કંપનીમાં કામ કરતા પાર્વતીબેન માવજીભાઇ લોઠારી રહે. ભાલપરા રોડ ભાલકા સોસાયટી વાળા સવારે કામ કરવા જાવ છું તેમ કહી ઘરેથી નિકળેલ હતા આ બહેને તેના બે બાળકો વિશાલ ઉ.૮ અને નીધિ ઉ.૬ નિશાળે ભણતા હતા તેને સાથે લઇને ગુમ થઇ ગયેલ છે. આ મહીલાના પતિ સાતેક વર્ષ પહેલા મૃત્‍યુ પામેલ હોય તેથી તે બન્‍ને  બાળકો સાથે તેમના પિતાને ત્‍યાં રહેતી હતી તેથી પોલીસે ગુમ થયાની ફરીયાદ નોંધી તપાસ હાથ ધરાયેલ છે.

આઘેડ પડી જતા મૃત્‍યુ

 વેરાવળ ભીડીયા વિસ્‍તારમાં રહેતા આધેડ બંદર વિસ્‍તારમાંથી ચાલીને જતા હોય તે પડી જતા સ્‍થળ ઉપર કમકમાટી ભર્યુ મૃત્‍યુ થયેલ હતું.

આ બનાવની વિગત એવી છે કે ભીડીયા વિસ્‍તારમાં રહેતા ગણેશ વેલજી આંજાણી ઉ.૪પ તા. ૧૬ ના રોજ રાત્રે ૯.૩૦ કલાકે બંદર બીલ્‍ડીંગ યાર્ડ પાસે ચાલીને જતો હોય તે અકસ્‍માતે પડી જતા હેમરેજ થઇજતા ઘટના સ્‍થળે મૃત્‍યુ પામેલ હતા પોલીસે અકસ્‍માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે.

 

(1:44 pm IST)