News of Thursday, 18th January 2018
પોરબંદર તા. ૧૮ :ઙ્ગગિરી બાપુ ની શિવ કથા માં બીજા દિવસે શિવમહાપુરાણ વિશે જણાવ્યું મહાદેવ ની કથા સાંભળવાથી માણસ ને શું કલ્યાણ થાય છે તે અંગે જણાવ્યું હતું. વ્યાસજીએ શિવ કથાનો મહિમા જણાવ્યો છે શિવમહાપુરાણ સર્વે પુરાણોમાં શ્રેષ્ઠ છે. શિવ અને પાર્વતી જગત ના માતપિતા છે પુષ્પ દંત મહારાજથી પરિચિત હોય તે સાચો શિવ ભકત હોય છે પ્રયાગ તીર્થમાં મહાદેવ નીઙ્ગ કથાનુંઙ્ગ રસપાન કરાવાય છેઙ્ગ
પ્રારંભ માં નારદ જી નું ચરિત્ર ગાયઙ્ગ છે નારદજી એ તપ કર્યું શિવ સમાન થયા પદનું અભિમાન થયું શિવ ગણોનેઙ્ગ શ્રાપ આપ્યો હતો તેના બદલ માં નારદ ને સંતાપ મળ્યો મહાદેવે કહ્યું હવે તમારે મૌન રહેવાનું છે અહંકાર અને અભિમાનનેઙ્ગ કારણેઙ્ગ મહાદેવ ને અવગણ્યા ,જેનાથી સંતાપ મળ્યો આથી વિષ્ણુ ભગવાન પાસે ગયા ત્યારે કહ્યું મને આ સંતાપ માંથી તારો વિષ્ણુ જી એ કહ્યું સન્તાપ દૂર કરવા તમે શિવજી નું ભજન કરો જેને વિવેક નો શણગાર કર્યો હોય તે આસમાન ના તારા તોડી શકે છે વિષ્ણુએ પંચાક્ષર મંત્ર આપ્યો ઁ નમઃ શિવાય,ઙ્ગ શિવની પૂજા માટેના મંત્ર કોઈ ને કંઠસ્થ ના હોય તો માત્ર પંચાક્ષર મંત્ર થી પૂજા થઇ જાય છેઙ્ગ
ભાલ માં ભસ્મ થી શિવ જી રાજી થાય છે આજના જમાનામાં બજારમાં ઉભા ઉભા પાણી પુરી ખાતા શરમ નથી આવતી પણ ભાલ કપાળ માં તિલક કરવાની શરમ આવે છે ભાલમાં ત્રિપુન્ડ કરવાથી ભગવાન સાથે શીતમન જોડાય છે ભસ્મના અનેક પ્રકાર છે સુવર્ણ, રજત જેમ અનેક પરંતુ શિવજી એ સ્મશાન ની ભસ્મ શા માટે પસંદ કરી ? કારણ કે શંકર મૃત્યુ નો દેવ છે એટલે જ મહામ્રુત્યંન્જય જાપ જપાય છે ગાળામાં શાપ પહેરી સંદેશ આપે છે મૃત્યુ શ્રુષ્ટિ પરનું શ્રેષ્ઠ વરદાન છે મૃત્યુ ના હોત તો જીવન નું કોઈ મૂલ્ય જ ના હોત હાલ બધાના દાદા પરદાદા ઓ જીવતા હોત વિચાર કરો એક દાદા સચવાતા નથી તો આટલા દાદાઓનું શું કરત ?ઙ્ગઙ્ગ
નારદ સંતાપમાંથી મુકત થવા માટે રુદ્રાક્ષ ધારણ કરો મહાદવની આપેલ ઔષધી રુદ્રાક્ષ કોઈ પણઙ્ગ
માણસ કોઈ પણ સમયે પહેરી શકે છે જીવ માત્ર ના કલ્યાણ માટે રૂદ્રાક્ષ પહેરી શકાય છે જન્મથી મૃત્યુ સુધી રૂદ્રાક્ષ પહેરી શકાય છે કોઈ દાદા દાદી ગુજરી જાય તો તેના અગ્નિ સંસ્કાર રુદ્રાક્ષની માળા સાથે જ કરવા જોઈએ પરંતુ સ્ત્રીઓના મનમાં પ્રશ્ન ઉદભવતો હશે કે સોના ની રુદ્રાક્ષ ની માળા હોય તો શું કરવું ? તો લઇ લેવી જોઈએ ,જેના કંઠ માં એક રુદ્રાક્ષ હોય તેમાં નીલકંઠનો વાસ હોય છે.
આ ઉપરાંત સંતાપ દૂર કરવા શિવ જી કથાનું સ્મરણ કરવું નિત્ય સત્સંગ કરો સત્સંગ સુખ આપશે.
આ ઉપરાંત શિવ ભકતો ની સેવા કરવા થી પણ સંતાપ દૂર થાય છે પૃથ્વી પર નો તે જીવ ધન્ય છે જે શિવનું ધ્યાન કરે છે, નારદ મુનિ બ્રહ્મા જી પાસે જાય છે વડીલો અને સ્નેહી ઓ નો જે આદર કરે છે તે દેવત્વ ને પામે છે નારદ જી બ્રહ્માજીની પરિક્રમા કરે છે.
જે ઘરમાં દીકરી નો અનાદર થાય ત્યાં દુઃખ આવે છે શાસ્ત્રોમાં નારીનો મહિમા છે નારી કોઈ દેવ ને દંડ વત ના કરે તે દંડ મુકત છે પતિ પત્ની એ એક બીજાના માં બાપનો આદર કરવો જોઈએ ,આજના જમાના માં ભૂલો ભલે બીજું બધું સાસુ સસરાને ભૂલશો નહિ એ વાકય યોગ્ય કહેવાશે મોટા ભાગે માં બાપ વૃદ્ઘ શ્રમમાં નથી હોતા સાસુઙ્ગ સસરા જ હોય છે જો આપણા દીકરાને શ્રવણ કુમાર બનાવવો હોય તો પતિને શ્રવણ કુમાર બનવા દેવો જોઈએઙ્ગ બ્રહ્માજીની પાસે નારદ મુનિ જઈને શિવાજીનો મહિમા અને મંત્ર સંભળાવવાની વાત કરે છે આ સાંભળી ને બ્રહ્માજી ઉભા થઇ ને પ્રણામ કરે છે અને કહેછે જે કોઈપણ પાપી માં પાપી વ્યકિત પણ જો કથા સાંભળવાનું શબ્દ પણ મુખમાં થી બોલે તો તે વંદનીય છે સાથની સુંદરતાઙ્ગ જ શ્રોતા છે.