Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

મોરબી માર્કેટિંગ યાર્ડના કર્મચારી ત્રણ માસ સુધી કોરોના સામે ઝઝૂમ્યા : આખરે જંગ હારી ગયા

સ્વર્ગસ્થ કર્મચારીને શ્રદ્ધાંજલિ અર્પવા શોકસભા યોજાઈ

મોરબી માર્કેટિંગ યાર્ડના કર્મચારી ત્રણ માસ સુધી કોરોના સામે ઝઝૂમ્યા હતા જોકે આખરે તેઓ કોરોના સામેનો જંગ હારી ગયા હોય અને કર્મચારીના મોતને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે
બજાર સમિતિ મોરબીના ઇન્સ્પેકટર યોગેશભાઈ અમરસિંહભાઈ મેરજા ત્રણ મહિના પૂર્વે કોરોના સંક્રમિત થયા હતા અને મોરબીથી રાજકોટ અને બાદમાં અમદાવાદ સારવાર માટે ખસેડાયા હતા ત્રણ ત્રણ માસ સુધી તેઓ કોરોના સામે ઝઝુમતા રહ્યા હતા જોકે ત્રણ માસ બાદ તેમનું મોત થયું છે કર્મચારીના મોતને પગલે મોરબી માર્કેટિંગ યાર્ડ પરિવાર દ્વારા સદગતને શ્રદ્ધાંજલિ આપવા શોકસભા રાખવામાં આવી હતી અને અશ્રુભીની આંખે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા જે શોકસભામાં અગ્રણી મગનભાઈ વડાવીયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા

(11:23 pm IST)