Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

પોરબંદર એનએસયુઆઈના ઉપપ્રમુખ સહિત ૩૦ કાર્યકરો યુવા ભાજપ મોરચામાં જોડાયા

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૩૧ :. એનએસયુઆઈના ઉપપ્રમુખ રાજકુમાર ચક્ર સહિત એનએસયુઆઈના કુલ ૩૦ કાર્યકરો યુવા ભાજપ મોરચામાં જોડાઈ ગયા છે. ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાએ એનએસયુઆઈના ઉપપ્રમુખ સહિત ૩૦ કાર્યકરોને કેસરિયો ખેસ પહેરાવીને સ્વાગત કર્યુ હતું.  એનએસયુઆઈના રાજકુમાર ચક્ર કેમ્પસ ઉપપ્રમુખનું પદ છોડી ભાજપમાં જોડાયા છે સાથે કેવળ બોખીરીયા મનન રૂપઅભિનંદન, આર્યદીપ જાડેજા કેમ્પસ મંત્રીનું પદ છોડી ભાજપમાં જોડાયા છે. પ્રદીપ પાતા પણ પક્ષની વિચારધારાથી પ્રેરાઈ ભારતીય જનતા પક્ષમાં જોડાયા. આમ આદમી પાર્ટીના વૈભવ થાનકી સહિત ૩૦ જેટલા જુદા જુદા કાર્યકરો કૃનાલ રજવાડી પ્રયાસોથી જોડાયા હતા.  ધારાસભ્ય બાબુભાઈ બોખીરિયા જિલ્લા પ્રમુખ કિરીટભાઈ મોઢવાડીયા, મહામંત્રી અશોકભાઈ મોઢા, ખીમજીભાઈ યુવા મોરચા પ્રમુખ લક્કીરાજસિંહ વાળા, શહેર યુવા મોરચાના પ્રમુખ સાગર મોદી, ઉપપ્રમુખ રાજેશ ગોહેલ, ભકાભાઈ ઓડેદરાએ અન્ય પક્ષોમાંથી આવેલાનું ખેસ પહેરાવી સ્વાગત કર્યુ હતું.

(1:10 pm IST)