Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ભાવનગર જિલ્લામાં હવે ૨૧,૪૨૭ કેસો પૈકી માત્ર ૧ દર્દી

ભાવનગર,તા.૩૧ : જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન એકપણ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા નથી.

જ્યારે મહાનગરપાલિકા વિસ્તારમાં ૧ પુરૂષ મળી કુલ ૧ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ, જિલ્લામાં નોંધાયેલા ૨૧,૪૨૭ કેસ પૈકી હાલ ૧ દર્દીઓના સારવાર હેઠળ છે. જ્યારે જિલ્લામાં ૨૯૭ દર્દીઓનું અવસાન થયેલ છે.

(11:49 am IST)