Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

અમરેલી જિલ્લા કોંગ્રેસ માઇનોરેટી ડિપાર્ટમેન્ટના બે પૂર્વ ચેરમેનોનું સમાધાન થતા જિલ્લા લઘુમતી સેલનું સંગઠન માળખું મજબૂત બનાવવા નિર્ધાર

સાવરકુંડલા તા. ૩૧ : અમરેલી જિલ્લા કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ બે પૂર્વ ચેરમેનોનું સમાધાન થતા આવતા દિવસોમાં માઈનોરેટી ડિપાર્ટમેન્ટનું સંગઠન માળખું મજબૂત બનાવવા નીર્ધાર વ્યકત કર્યો.

આ અગે ના અહેવાલ એવા છે કે અમરેલી જિલ્લા કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટ ના બે પૂર્વ ચેરમેનો વચ્ચે સામાન્ય મનદુઃખના કારણે વાંધો હોવાથી આ બાબતે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માઈનોરેટી ડિપાર્ટમેન્ટના ચેરમેન વજીરખાંન પઠાણ અને અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિ ના ઉપપ્રમુખ અને વિદ્વાન એડવોકેટ રફીકભાઈ મોગલની મધ્યસ્થી માં અમરેલી જિલ્લા માઈનોરેટી ડિપાર્ટમેન્ટ પૂર્વ ચેરમેન દાઉદભાઈ લાલીયા અને ઈકબાલ ગોરી વચ્ચેના મનદુઃખ ભૂલી જઈ સમાધાન કરાવેલ હતું અને આવતા દિવસોમાં અમરેલી જિલ્લા માઈનોરેટી ડિપાર્ટમેન્ટનું સંગઠન માળખું મજબૂત અને ચેતનવંતુ બનાવવા દાઉદભાઈ લાલીયા અને ઈકબાલ ગોરીએ નિધાર વ્યકત કરેલ હતો.

અમરેલી જિલ્લાના દરેક શહેર અને તાલુકા વિસ્તારમાં ફરી માઈનોરેટી ડિપાર્ટમેન્ટના પ્રશ્નો અને વેદના સાંભળી સમસ્યાઓ હલ કરવાના પ્રયત્ન કરવામાં આવશે અને અસર કારક સંગઠન બનાવવામાં આવશે તેવી ખાતરી દાઉદભાઈ લાલીયા અને ઈકબાલ ગોરી આપી છે.

(11:48 am IST)