Gujarati News

Gujarati News

News of Saturday, 31st July 2021

ભારે પવનને કારણે ગિરનાર રોપ વે સતત પાંચમા દિવસે બંધ

સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર રોપ વે બંધ : પવનની ગતિ ધીમી પડતા ફરી શરૂ કરાશે

જૂનાગઢ :પ્રસિદ્ધ ગીરનાર પર્વત પર ગીરનાર રોપવે છેલ્લા 4 દિવસથી બંધ છે,ત્યારે આજે સતત પાંચમા દિવસે પણ ગિરનાર રોપ વે બંધ રાખવાની ફરજ પડી છે.ઉલ્લેખનીય છે કે,ભારે પવનને કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગીરનાર રોપવે બંધ કરવામાં આવ્યો છે. પવનની ગતિ ધીમી થયા બાદ રોપવે ફરીથી શરૂકરવામાં આવશે. ગીરનાર રોપવે બંધ હોવાથી હાલ પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ચોમાસાની ઋતુને કારણે ગીરનાર પર્વતની સુંદરતા નિહાળવા માટે પ્રવાસીઓ ઉમટતા હોય છે. પરંતુ રોપવે બંધ હોવાથી પ્રવાસીઓમાં નારાજગી જોવા મળી રહી છે

(11:17 am IST)