Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

વિંછીયાના આસલપુર ગામે વાવેતર ફરતે તારમાં વિજ કરંટ લાગતા ધીરૂભાઇ પટેલનું મોત

બેદરકારી દાખવનાર વાડી માલીક જેન્તીભાઇ કોળી સામે ગુન્હો નોંધાયો

રાજકોટ તા. ૨૯ : વિંછીયાના આસલપુર ગામે ચણાના વાવેતર ફરતે તારમાં વિજકરંટ લાગતા પટેલ આધેડનું મોત નિપજ્યું હતું. આ અંગે બેદરકારી દાખવનાર વાડી માલીક સામે ગુન્હો નોંધાયો છે.

પ્રાપ્ત વિગતો મુજબ આસલપુર ગામે રહેતા જેન્તીભાઇ ટપુભાઇ કોળીએ પોતાની વાડીએ ચણાના વાવેતર ફરતી લોખંડની તારની વાડ કરી તેમાં કેબલ વાયર વડે ઇલેકટ્રીક પાવર વહેતો કરતા અને આ તારને આધેડ ધીરૂભાઇ ડેલીવાળા (પટેલ) અડી જતા વિજકરંટ લાગતા તેમનું મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતક ધીરૂભાઇના પુત્ર અરવિંદભાઇએ વાડી માલીક જેન્તીભાઇ ટપુભાઇ મકવાણા (કોળી) સામે ફરીયાદ કરતા વિંછીયા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૦૪ મુજબ ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:47 pm IST)