Gujarati News

Gujarati News

News of Monday, 30th November 2020

ટંકારાના નગરનાકા નજીક દિવાલના પથ્થર પડતા બાળાનું મોત

ઓવરબ્રિજની મંદગતિએ કામગીરી ચાલતા વારંવાર અકસ્માતો

(હર્ષદરાય કંસારા દ્વારા) ટંકારા,તા.૩૦ : મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક ઓવરબ્રીજની કામગીરી ચાલી રહી છે ત્યારે ટંકારાના નગરનાકા નજીક દીવાલના પાણા પડતા બાળકીને ગંભીર ઈજાઓ પહોચતા તેનું મૃત્યુ નીપજયું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે દોડી જઈને ધોરણસરની કામગીરી હાથ ધરી છે

  મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા નજીક બની રહેલ ઓવરબ્રીજની કામગીરી ધીમીગતિએ ચાલી રહી છે જેને કારણે અનેકવાર અકસમાતના બનાવો બનતા રહે છે ત્યારે ટંકારાના નગરનાકા નજીક દીવાલનાં પાણા પડતા એક બાળકીનું મૃત્યુ નીપજયું હતું.તો મૃતક બાળકીનું નામ લક્ષ્મી રમેશભાઈ હોવાની માહિતી સુત્રોમાંથી મળી હતી. હાલ ટંકારા પોલીસે દોડી જઈને ધોરણસરની કામગીરી હાથ ધરી છે.ઓવરબ્રિજનની કાચબા ગતિએ ચાલી રહેલ કામગીરીના કારણે અનેક અકસ્માતો બની રહ્યા છે પરતું તંત્ર દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને આંખ આડા કાન કરીને કાચબા ગતીની કામગીરી નિહાળ્યા કરે છે.

(11:24 am IST)