Gujarati News

Gujarati News

News of Friday, 30th October 2020

કાલે શનિવારે બગસરામાં વિજયભાઈ રૂપાણી અને સી. આર. પાટીલની જાહેરસભા

રાજકોટઃ ભાજપના ઉમેદવાર જે.વી. કાકડીયાના સમર્થનમાં આવતીકાલે ૩૧મીના શનિવારે સાંજે ૪ વાગે બગસરાના ઉત્સવ ગ્રાઉન્ડમાં જાહેરસભા યોજાશેઃ જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ઉપસ્થિત રહી આ સભાને સંબોધશેઃ આ જાહરેસભામાં નાગરિકોને ઉપસ્થિત રહેવા અમરેલી જિલ્લા પ્રમુખ અને ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું છે

(11:36 am IST)