Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

મોરબી : ઉમિયા નવરાત્રી મહોત્સવમાં શનિવારે જાણીતા સિંગર કૈલાશ ખેર ગરબાની મોજ કરાવશે.

મોરબીમાં શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવનું દર વર્ષે જાજરમાન આયોજન કરવામાં આવી રહ્યું છે પરિવાર સાથે ગરબાની મોજ માણી સકાય તેવું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવી રહ્યું છે જે ઉમિયા નવરાત્રી મહોત્સવમાં શનિવારે દેશના જાણીતા સિંગર કૈલાશ ખેર પધારશે જેઓ ગરબાની ધૂમ મચાવશે
આવતીકાલે તા. ૦૧ ઓક્ટોબરને શનિવારના રોજ શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓને મોજ કરાવવા માટે દેશ અને વિદેશના જાણીતા સિંગર કૈલાશ ખેર પધારશે જે અંગે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી
જેમાં ઉમિયા નવરાત્રી મહોત્સવના આયોજકોએ જણાવ્યું હતું કે શનિવારે જાણીતા સિંગર કૈલાશ ખેર પધારશે જે ખેલૈયાઓને જલસા કરાવશે તે ઉપરાંત ઇન્ડિયન આઈડલ ફેમ દિવ્ય કુમાર પણ પધારશે તેમજ તા. ૦૨ ના રોજ કીર્તિ સાગઠીયા જમાવટ કરશે અને આગામી દિવસોમાં અન્ય પણ જાણીતા કલાકારો માટેની તૈયારી આયોજકો દ્વારા કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું.

(9:21 pm IST)