Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કાલે અરવિંદ કેજરીવાલ જુનાગઢમાં જનસભા ગજવશે

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ તા.૨૯: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રીઅરવિંદ કેજરીવાલ આગામી તા.૧ ઓકટોબરને શનિવારના રોજ જૂનાગઢ આવી રહયા છે જુનાગઢ મહાનગર આમ આદમી પાર્ટીના પ્રમુખ ચેતનભાઇ ગજેરા એ જણાવ્યુ હતુ કે શનિવારે બપોરે ૩ કલાકે શ્રીકેજરીવાલની જનસભા રાધાનંદનપાર્ક જીનીયસ સ્કુલ સામે અલીલપુર રોડ જોશીપરા જૂનાગઢ ખાતે યોજાનાર છે. જેમાં તેઓ સભા ગજવશે

(12:26 pm IST)