Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સોરઠમાં સતત ચોથા દિવસે પણ માત્ર વરસાદી માહોલઃ લોકોમાં નિરાશા

સોમવાર બાદ મેઘરાજાની જમાવટ થઇ નથી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૩૦: સોરઠમાં સતત ચોથા દિવસે પણ માત્ર વરસાદી માહોલ રહેતા લોકોમાં નિરાશા વ્યાપી ગઇ છે.

જુનાગઢ જિલ્લામાં ગત રવિવાર અને સોમવારે સાર્વત્રિક વરસાદ થયો હતો. બાદમાં મંગળવારથી મેઘરાજાએ મોં ફેરવી લેતા લોકોમાં ફરી ચિંતાના વાદળા ઘેરાય ગયા છે.

છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ છે પરંતુ ફરી મેઘરાજા મન મુકીને વરસવાનું નામ લેતા નથી.

જુનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ વરસાદ ૩૩.૮પ ટકા જ થયો છે. સૌથી ઓછો ર૩.૮૦ ટકા વરસાદ ભેસાણ તાલુકામાં નોંધાયો છે.

(1:04 pm IST)