Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

સલાયામાં બે સગી બહેનોના સર્પદંશથી મોત

બન્નેના શરીર લીલા થઈ જતા ઝેરી જનાવરે ડંખ માર્યાની શકયતાઃ પોસ્ટમોર્ટમ રીપોર્ટની જોવાતી રાહ

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા. ૩૦ :. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયામાં બે સગી બહેનોના સર્પદંશથી મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. જો કે ઝેરી જનાવરના ડંખથી જ મોત થયા છે કે અન્ય કોઈ કારણ તે અંગે પોલીસે પોસ્ટમોર્ટમ રીપોર્ટની રાહ જોઈને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ સલાયાની જૂની પોેલીસ ચોકી પાસે રહેતા સાજીદભાઈ અબ્દુલભાઈ સતાર (મૌલવી)ની પુત્રી સબીહા (ઉ.વ. ૧૪) અને ઈન્સા (ઉ.વ. ૯) રાત્રીના સુતા હતા ત્યારે બન્નેના મૃત્યુ નિપજયા હતા. બન્નેના શરીર એકદમ લીલા થઈ ગયા હતા અને ગળુ પણ લીલાશવાળુ થઈ ગયુ હતુ. જેથી રાત્રીના સર્પદંશથી આ બન્નેના મોત થયાનું પ્રાથમિક તારણમાં જાણવા મળ્યુ છે.

જો કે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડેલ છે. જેનોે રીપોર્ટ આવ્યા બાદ સાચુ કારણ જાણવા મળશે.

મૃતક બાળાઓના પિતા સાજીદભાઈ સતાર સલાયા વેપારી મંડળના સદસ્ય હોવાથી વેપારી મંડળના પ્રમુખ તથા હોદેદારો તેમજ ગામના આગેવાનો તેમના ઘરે દોડી ગયા હતા.

બે બાળાઓના એક સાથે મોતથી પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો છે.

(12:07 pm IST)