Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વાંકાનેરના રઘુવંશી અગ્રણી વિનુભાઇની ગુજરાત કોટન સીડઝ બ્રોકર્સ એશો.ના પ્રમુખપદે વરણી

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર તા.૩૦ : ઓલ ગુજરાત કોટન સીડઝ બ્રોકર્સની તાજેતરમાં રાજકોટ અમદાવાદ રોડ ઉપર કુવાડવા ખાતે મીટીંગમાં સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહેલ કોટન બ્રોકર્સ પ્રમુખપદનો તાજ વાંકાનેરના રામબ્રોકર્સ વાળા રઘુવંશી અગ્રણી એવા વિનુભાઇ કટારીયાને શીરે મુકયો હતો જેને ઉપસ્થિત સૌએ આવકારી તેમનું અદકેરૂ સન્માન કર્યુ હતુ.

સાથે અન્ય હોદ્દેદારો તથા ખોળ કપાસીયા એશો.ના હોદ્દેદારોની પણ વરણી કરેલ. ઓલ ગુજરાત કોટન સીડઝ બ્રોકર્સની સ્થાપના વર્ષ ૨૦૦૫માં કરવામાં આવેલ ત્યારથી આ સંસ્થાના સ્થાપક પ્રમુખપદે અવધેશભાઇ સેજપાલ અને તેમના સાથી હોદ્દેદારો કાર્યભાર સંભાળી રહ્યા હતા.

ઓલ ગુજરાત કોટન સીડઝ બ્રોકર્સની બેઠકમાં બ્રોકર્સને લગતા પ્રશ્નોની ચર્ચા કરાઇ હતી ત્યારપછી સતત ૨૦૦૫ થી સતા ઉપર રહી સેવા આપતા અવધેશભાઇ અને અન્ય અગ્રણીઓ દ્વારા આ સંસ્થાના પ્રમુખપદ માટે વાંકાનેર રામબ્રોકર્સવાળા વિનુભાઇ કટારીયાના નામની જાહેરાત કરતા તેને સૌએ તાલીઓથી વધાવી હતી. ઉપપ્રમુખપદે માણાવદરના દિનેશભાઇ કાલરીયા, સેક્રેટરીપદે અવધેશભાઇ સેજપાલ, બીજા ઉપપ્રમુખપદે મહુવાના ચામુંડા બ્રોકર્સ વાળા જીતુભાઇ મહેતાના નામ જાહેર થયા હતા. વિનુભાઇ કટારીયાએ જણાવેલ કે, આગામી દિવસોમાં બ્રોકર્સ, ઓઇલ મીલ તેમજ જીનીંગ ઉદ્યોગની એક મજબૂત સાકળ બનાવવા પ્રયત્નો કરવામાં આવશે.ખોળ કપાસીયાના બ્રોકર્સ પણ સાથે હોય તેમા ખોળ એશો.ના પ્રમુખપદે રાજકોટના પરેશ બ્રોકર્સવાળા પરેશભાઇ કકકડ, ઉપપ્રમુખપદે જયેશભાઇ ભીમજીયાણી (જલારામ) તેમજ અંજાર કચ્છથી હિતેશ કેન્વાસીંગવાળા અશોકભાઇ દોશીની નિમણુંક કરવામાં આવેલ.

ગુજરાત ખોળ બ્રોકર્સમાં ગુજરાતમાંથી અમદાવાદ જલારામ બ્રોકર્સવાળા નિમેશભાઇ ઠકકરની પ્રમુખપદે ઉપપ્રમુખપદે હારીજ જલારામ બ્રોકર્સ હાર્દિકભાઇ ઠકકર અને સેક્રેટરીપદે જયશ્રી બ્રોકર્સ મોરબીના દિપકભાઇની નિમણુક  કરવામાં આવેલ.

આ મીટીંગમાં કડીથી પીનાકિનભાઇ, મોરબીથી નિશીતભાઇ, ઢુસાથી ભુરમીયા બ્રોકર્સ, માણાવદરના ચંદ્રેશ બ્રોકર્સ, સદગુરૂ બ્રોકર્સ, જતીનભાઇ દાવડા, મીતલ બ્રોકર્સ કડી, દરિયાલાલ બ્રોકર્સ અમદાવાદ, રાજા બ્રોકર્સ જીતુભાઇ, સુરેન્દ્રનગર અનિલ બ્રોકર્સ, મોરબી જાનકી બ્રોકર્સ, ભુજથી મન ટ્રેડીંગ પાર્થભાઇ તેમજ યશવંતભાઇ શાહ સહિતના સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના બ્રોકર્સ ઉપસ્થિત રહ્યા હતા અને નવા નિમણુક પામેલા હોદ્દેદારોનું શાલ પુષ્પગુચ્છ વડે સન્માન કરેલ હતુ.

(11:54 am IST)