Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

તોરણીયા મુકામે આવતીકાલે અષાઢીબીજે પ.પૂ.સંતશ્રી રાજેન્‍દ્રદાસ બાપુના અધ્‍યક્ષ સ્‍થાને ધર્મસભા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૩૦: અખિલ ભારતીય સંત સમિતિ સૌરાષ્ટ્ર એવમ નકલંકધામ ,તોરણીયા આયોજિત પ.પૂ.ધર્મભૂષણ સંતશ્રી રાજેન્‍દ્રદાસબાપુ (તોરણીયા વાળા)ના અધ્‍યક્ષ સ્‍થાને પૂ. નૌતમસ્‍વામીજી, અનંતશ્રી વિભૂષિત પૂ.સ્‍વામી જીતેન્‍દ્રનંદજી સરસ્‍વતી ,તથા સંતશ્રી પૂ. વિજયબાપુ (સતાધાર) સહિતના સંતોની વિશેષ ઉપસ્‍થિતિમાં તા.૧/૭/૨૦૨૨ શુક્રવારના રોજ સાંજે ૫.૩૦ કલાકે સંતશ્રી સેવાદાસબાપા આશ્રમ ,શ્રી ધારેશ્વર મહાદેવ મંદિર , નકલંકધામ તોરણીયા મુકામે ધર્મસભા નું આયોજનᅠ કરવામાં આવ્‍યું છે.આ ધર્મસભાનો લાભ લેવા મહંત શ્રી સુખરામ દાસજી મહારાજ (ગુરુશ્રી રમકિશોર દાસજી મહારાજ ખાખી મઢી રામજી મંદિર મેંદરડા જૂનાગઢ) દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવાયું છે.

(2:00 pm IST)