Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ધોરાજી સ્‍થિત સેલાણી સાઈની જગ્‍યા સહિત મંદિરોમાં અષાઢી બીજ પર્વની કાલે ઉજવણી

(કિશોર રાઠોડ દ્વારા)ધોરાજી, તા.૩૦: ધોરાજી સ્‍થિત સેલાણી સાઈની જગ્‍યા સહિત મંદિરોમાં અષાઢી બીજ પર્વની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે.

તારીખ ૩૦ જૂન ૨૦૨૨ના રોજ હિંદુ સનાતન ધર્મનું પવિત્ર તહેવાર અષાઢી બીજ નિમિત્તે ધોરાજીના કુંભારવાડા વિસ્‍તારમાં આવેલ પરબની પુરાણી જગ્‍યા અને સેલાણી સાઇ ની જ્‍યાં પવિત્ર જગ્‍યા આવેલી છે ત્‍યાં આજે સવારે નેજા ઉત્‍સવ તેમજ ભોજન પ્રસાદ પાઠ પ્રસાદી અને ભજન સંતવાણી નો કાર્યક્રમ યોજાનાર છે આ ઉપરાંત  ધોરાજીના સ્‍મશાન પાસે આવેલ રામદેવપીરજી મહારાજના મંદિર ખાતે જગ્‍યાના મહંત ભીખુ બાપુ નાનક દ્વારા તેમજ મંદિરના સેવક સમુદાય દ્વારા અષાઢી બીજ ની ઉજવણી કરવામાં આવશે.

(12:00 pm IST)