Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ઉદયપુરની ઘટનાનો હળવદમાં વિરોધ : વિહિપ દ્વારા પૂતળાં દહન

(દિપક જાની દ્વારા) હળવદ,તા. ૩૦ : રાજસ્‍થાનના ઉદયપુરમાં જેહાદી માનસિકતા ધરાવતા આતંકવાદીઓએ નિર્દોષ હિન્‍દુ વેપારી કન્‍હૈયાલાલની સરાજાહેર તેમની જ દુકાનમાં નિર્મમ હત્‍યા કરવામાં આવી ત્‍યારે દેશભરમાં તે ઘટનાના પડઘા પડ્‍યા છે અને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થયી રહ્યું છે ત્‍યારે હળવદ બજરંગદળ દ્વારા ઇસ્‍લામિક આતંકવાદના પૂતળાંનું દહન કરી રોષ વ્‍યક્‍ત કર્યો હતો અને ‘ઇસ્‍લામિક આતંકવાદ હાય હાય' અને ‘જય શ્રી રામ', ભારત માતા કી જય , વંદે માતરમ્‌ના નારા લગાવ્‍યા હતા આ કાર્યક્રમમાં મોટી સંખ્‍યામાં બજરંગદળના કાર્યકરો તથા વિવિધ રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહી આ ઘટનાને સખત શબ્‍દોમાં વખોડી નાખી અને રોષ વ્‍યક્‍ત કર્યો હતો તથા પોલીસ અધિકારીઓ તથા પોલીસના જવાનોએ કાયદો અને ટ્રાફિક વ્‍યવસ્‍થા જાળવી હતી.

(11:04 am IST)