Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

લોકદરબારમાં જસદણ-વિંછીયા પંથકના ૧૦૦ પ્રશ્‍નો વરસ્‍યા

રાજકોટ : જિલ્લા પંચાયત દ્વારા જસદણ પ્રાંત ઓફીસ ખાતે પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ભરતભાઈ બોઘરા,  જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર, ધારાસભ્‍ય  કુવરજીભાઈ બાવળિયા,  પંચાયત ઉપપ્રમુખ સવિતાબેન વાસાણી, જીલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીની ઉપસ્‍થિતિમાં ગ્રામ્‍ય વિસ્‍તારના લોકો માટે લોકદરબાર યોજવામાં આવેલ. જેમાં જસદણ - વિછીયા તાલુકાના સરપંચો તથા અરજદારો એ ૧૦૦થી વધુ પ્રશ્નો રજુ  કર્યા હતા. ત્‍યારે ગ્રામજનોના વિકાસના કામો સહીતના પ્રશ્નો સાંભળી તેનું સ્‍થળ ઉપર જ નિરાકારણ લાવવા માટે સબંધિત વિભાગોને સુચના આપી હતી તેમજ ડી.ડી.ઓ. દ્વારા તમામ તલાટીઓને ગ્રામ પંચાયત ખાતે નિયમિત હાજર રહી પ્રજાલક્ષી કામગીરી કરી પ્રશ્નોનો ત્‍વરિત નિકાલ કરવા સૂચના આપી હતો. આધાર કાર્ડની વધારાની કીટ બંને તાલુકા તથા તમામ તાલુકાઓમાં  પ્રમુખ શ્રી તથા ડીડીઓશ્રીની ગ્રાન્‍ટમાંથી ફાળવવામાં આવશે. આ પ્રસંગે પરેશભાઈ રાદડિયા, અમૃતભાઈ મકવાણા, સંબંધિત વિભાગના અધિકારીઓ,સંગઠનના હોદ્દેદારો તથા મોટી સંખ્‍યામાં સરપંચશ્રીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(11:03 am IST)