Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

ખંભાળીયા કોર્ટ દ્વારા પરિણિતા અને તેના સંતાનોને ભરણપોષણ ચુકવવા આદેશ

ખંભાળીયા,તા. ૩૦ : ખંભાળીયા તાલુકાના ભરાણા ગામે રહેતા શહેરનાજ શબીર ચમડીયાના ભરાણા ગામે રહેતા શબીર જુનસ ચમડીયાની સાથે લગ્ન થયેલ હતા. લગ્ન જીવન દરમ્‍યાન બે સંતાનોનો જન્‍મ થયેલ હતો. અને લગ્ન જીવન દરમ્‍યાન શહેનાજબેનને શારીરીક તથા માનસીક દુઃખ ત્રાસ આપી ઘરમાંથી સગીર સંતાોની સાથે પતિ દ્વારા કાઢી મુકવામાં આવતા શહેનાજબેન દ્વારા પોતાનું તથા પોતાની બે સગીર સંતાનોનું ભરણપોષણ મેળવવા માટે ખંભાળીયાની પ્રિન્‍સીપાલ ફેમીલી જજની કોર્ટમાં અરજી કરતાં અરજદારનાં એડવોકેટ મોહમદ હનીફ કે. સોઢાની દલીલો ધ્‍યાને લઇ અરજદારની અરજી મંજૂર થયેલ અને અરજદાર શહેનાજબેન તથા તેમના બે સગીર સંતાન સહિત કુલ રૂા. ૮૦૦૦ ભરણપોષણ કોર્ટે મંજૂર કરેલ છે.

આ કેસમાં અરજદાર શહેનાજબેન તરફે એડવોકેટ મોહમદ હનીફ કે. સોઢા તથા ફાલ્‍ગુનીબેન બારોટ તથા મદદમાં હિતેષ રાયચુરા રોકાયેલ હતા.

(11:01 am IST)