Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અમરેલી જીલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંક લી.,ના એમ.ડી., સહકારી અગ્રગણ્‍ય ચંદુભાઇ નનુંભાઇ સંઘાણીને શોકાંજલી અર્પણ કરતા ખેતીબેંક - અમદાવાદના ચેરમેન ડોલરભાઇ કોટેચા

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૩૦ : અમરેલી જીલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંક લી.,ના એમ.ડી., સહકારી અગ્રગણ્‍ય, ખેડુત નેતા, ઇફકો, ગુજકોમાસોલના ચેરમેન, દિલીપભાઇ સંઘાણીના લઘુબંધુ ચંદુભાઇ સંઘાણીની અણધારી વિદાયથી ઘેરા શોકની લાગણી વ્‍યકત કરી ખેતી બેંક - અમદાવાદના ચેરમેન શ્રી ડોલરભાઇ કોટેચાએ શ્રધ્‍ધાંજલી આપતા જણાવેલ કે, ચંદુભાઇ સેવાને સર્મપીત હતા. આપણે આપણા પરિવારનાં એક કે બે સંતાનોની જવાબદારી નિભાવવામાં પણ થાક અનુભવતા હોઇ ત્‍યારે વર્ષોથી અમરેલી મહિલા વિકાસ ગૃહની અનેક અનાથ બાળાઓનો જીવનમાં આવતા નાના મોટા પ્રસંગોથી લઇ લગ્ન અને લગ્ન પછીના સગી દિકરી જેવા વ્‍યવહારો રાખી અનાથ દિકરીઓના જીવનમાં ઉજાસ પાર્થયો છે. વર્ષોથી અમરેલી જિલ્લા મધ્‍યસ્‍થ સહકારી બેંકમાં એમ.ડી. તરીકે સેવાઓ આપેલ છે અને સામાજીક સેવાઓને પોતાને જીવન બનાવેલ હતુ. તેવા મુઠી ઉચેરા માનવીની સમાજને ન પુરી શકાય તેવી ખોટ પડી છે.

શ્રી ચંદુભાઇ સંઘાણીની વિદાયથી જાહેર જીવન રાંક બન્‍યુ છે. સદગતની વિદાયથી માન. શ્રી દિલીપભાઇ સંઘાણી તથા સંઘાણી પરિવાર પર આવી પડેલ દુઃખને સહનક રવાની અને તેમના અધુરા રહેલ કાર્યો પુર્ણ કરવાની પરમકૃપાળુ પરમાત્‍મા શકિત આપે અને સદગતના આત્‍માને પ્રભુ ચિર શાંતી અર્પે એજ પ્રાર્થના કરી શ્રધ્‍ધાસુમન અર્પણ કરી શ્રધ્‍ધાંજલી આપેલ હતી.

(2:06 pm IST)