Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

સાવરકુંડલાઃ જગન્‍નાથ મંદિરે કોમી એકતાના દર્શન

 સાવરકુંડલા : અમદાવાદ જગન્‍નાથ મંદિર ખાતે મહંત શ્રી દિલીપદાસજી મહારાજ દ્વારા ધારાસભ્‍ય ગ્‍યાસુદીન શેખ, ઇમરાન ખેડાવાલને રમઝાનના પવિત્ર ર૭ મા રોજાનો મહિમા સવિશેષ હોવાથી આ દિવસે ઇફતારી માટે ફ્રુટના બકેટ ભેટ સ્‍વરૂપે આપીને મુસ્‍લિમ સમાજને રમઝાન માસની શુભકામનાઓ તથા આગામી ઇદના તહેવાર માટે શુભેચ્‍છા સંદેશ પાઠવ્‍યો હતો તેમજ ગુજરાતમાં સદભાવના બની રહે અને ગુજરાત પ્રગતિના પંથે અગ્રેસર રહે તેવી શુભેચ્‍છા પાઠવી હતી. આ પ્રસંગે મ્‍યુનિ.  કાઉન્‍સિલર ઇમ્‍તતીયાઝ શેખ, સલીમસાબુવાલા, રફીક શેઠજી સહિત આગેવાનો શ્રી યુસુફ માર્ટીન, કૈયુમ કુરેશી, યુનુસ બિસોરા ઉપસ્‍થિત રહ્યા હતાં. ધારાસભ્‍ય ગ્‍યાસુદીન શેખ તથા ઇમરાન ખેડાવાલાએ જગન્નાથ મંદિરના ટ્રસ્‍ટી મંડળ તથા મહંત શ્રી દિલીપદાસજીનો આભાર વ્‍યકત કર્યો હતો. (તસ્‍વીર - અહેવાલ : ઇકબાલ ગોરી -સાવરકુંડલા)

(1:54 pm IST)