Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

અમરેલીના સ્‍વ.ચંદુભાઇ સંઘાણીની સેવાને બિરદાવતા પૂ. મોરારીબાપુ

દિલીપભાઇ સંઘાણીને ટેલીફોનીક સાંત્‍વના પાઠવી

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી, તા., ૩૦: ચંદુભાઇ સંઘાણીએ તો સેવાનો માનવી તેને મારી શ્રધ્‍ધાંજલી તેમ દિલીપભાઇ સંઘાણીને ટેલીફોનીક શોક સંદેશો પાઠવતા ઇન્‍દોરથી પ્રખર રામાયણી-લોકસંત પૂ. મોરારીબાપુએ જણાવેલ અને જીવન પર્યત તેમની લોકસેવા કાર્યને બિરદાવેલ છે.

 ચંદુભાઇ સંઘાણીના અવસાન બદલ સંઘાણી પરીવારને સહાનુભુતી અને સાંત્‍વના પાઠવવા અનેક મહાનુભાવો-આગેવાનો આવી રહયા છે જેમાં આજ રોજ વિનોદભાઇ ચાવડા, સુરેશભાઇ ગોધાણી, ભરતભાઇ ગાજીપરા, રામસિંહભાઇ ભેટારીયા, મહેન્‍દ્રભાઇ ત્રિવેદી, નાનુભાઇ વાનાણી, આત્‍મારામભાઇ પરમાર, કિરીટભાઇ પટેલ, ગોરધનભાઇ ધામેલીયા, બાબુભાઇ જેબલીયા સહીત રાજકીય અને સામાજીક ક્ષેત્રના આગેવાનોએ સંઘાણી પરીવારને સાંત્‍વના પાઠવી હતી.

(1:53 pm IST)