Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

મોરબીના લક્ષ્મીનગર ગામે બિમારીથી કંટાળી પરણિતાનો ફાંસો ખાઇ આપઘાત

ઉમા ટાઉનશીપમાં જીજ્ઞાબેન વાગડીયા એ ગળાફાંસો ખાધો : સારવારમાં

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી, તા. ૩૦ :  મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતી પરિણીતા એ ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા અમીનાબેન રમેશભાઈ ભંખોડીયા (ઉ.૩૪) એ પોતાના ઘરે તા. ૨૯ ના રોડ ગળેફાંસો ખાઈ લેતા મળત્‍યુ નીપજ્‍યું હતું તો ધટનાની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમે દોડી ગઈ હતી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી તેમજ  મળતક પરિણીતાને માનસિક બીમારી હોવાનું મોરબી તાલુકા પોલીસ મથકના તપાસ અધિકારી મનીષભાઈ બારૈયા પાસેથી જાણવા મળ્‍યું હતું તો વધુમાં મળતક પરિણીતાના લગ્નને ૧૪ વર્ષનો સમય થયો હોય અને સંતાનમાં બે બાળકો હોવાની માહિતી મળી હતી.

બીજા બનાવમાં મોરબીના ઉમા ટાઉનશીપમાં પરિશ્રમ એપાર્ટમેન્‍ટમાં રહેતા જીજ્ઞાબેન હનીશભાઈ વાગડીયા (ઉ.૩૨) એ ગત તા. ૨૯ ના રોજ ગળેફાંસો ખાઈ આપધાતનો પ્રયાસ કરતા સારવાર માટે મોરબીની ખાનગી હોસ્‍પિટલ ખસેડવામાં આવી હતી તો પરિણીતાના લગ્નને પાંચ વર્ષનો સમય થયો હોવાની માહિતી મળી હતી તો બનાવ અંગે મોરબી બી ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:41 pm IST)