Gujarati News

Gujarati News

News of Saturday, 30th April 2022

ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજ દ્વારા ૧૦મો સમૂહ લગ્નોત્‍સવ, સમાજ ભવન લોકાર્પણઃ તથા સન્‍માન સમારોહ અખાત્રીજે યોજાશે

ટંકારા,તા.૩૦: ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજ દ્વારા ૧૦ મો સમૂહ લગ્નોત્‍સવ, સમાજ ભવન લોકાર્પણ તથા સન્‍માન સમારોહ તારીખ ૩ ના રોજ અખાત્રીજ યોજાશે .ટંકારા તાલુકા કડવા પાટીદાર સમાજ દ્વારા કલ્‍યાણ પર ખાતે સમાજ ભવન લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ કાર્ય થઈ રહેલ છે. તેના લોકાર્પણ કાર્યક્રમ, ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા ૧૦ મો સમૂહ લગ્નોત્‍સવ તથા દાતાઓનો સન્‍માન નો ત્રિવિધ કાર્યક્રમ યોજાયેલ છે. લોકાર્પણ કાર્યક્રમ બાબુભાઈ એચ ઘોડાસરાના અધ્‍યક્ષ સ્‍થાને અને શ્રી મોહનભાઈ કૂંડાળીયા સંસદ સભ્‍ય બ્રિજેશભાઈ મેરજા મંત્રી, જયસુખભાઇᅠ ભાલોડીયા ઓરેવા ગ્રુપના મુખ્‍ય મહેમાન પદે યોજાસે. લોકાર્પણ કાર્યક્રમમાં જેરામભાઈ વાસજાળીયા, મૌલેશ ભાઈ પટેલ લલીતભાઈ કગથરા ધારાસભ્‍ય તથા ભૂતપૂર્વ ધારાસભ્‍ય કાંતિલાલ અમૃતિયા બાવનજીભાઇᅠ મેતલીયા,ᅠ જયંતીભાઈ કવાડિયા અને પ્રવીણ ભાઈ ભાલોડીયા, પોપટભાઈ કગથરા, અરવિંદભાઈ પટેલ, ગોવિંદભાઈ વરમોરા બેચરભાઈ ઓછી વેલજીભાઈ બોસ સહિત અનેક મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે. આ પ્રસંગે મુખ્‍ય દ્વારના દાતા , કાર્યાલય ના દાતા , વર કન્‍યાᅠ રૂમ ના દાતા, રસોડા વિભાગના દાતાઓનું સન્‍માન કરાશે. નકલંક મંદિર બગથરાના મહંત પૂજયᅠ દામજી ભગત આશીર્વાદ આપશે.

ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ ટંકારા દ્વારા ૧૦ મો સમૂહ લગ્નોત્‍સવ અખાત્રીજના દિવસે યોજાયેલ છે. તેમાં ૧૧ નવયુગલો પ્રભુતામાં પગલા પાડશે સમૂહ લગ્નોત્‍સવ અરવિંદભાઈ શ્રી બારૈયા ના અધ્‍યક્ષ સ્‍થાને તથા કચરાભાઈ દ્યોડાસરા ના ઉપાધ્‍યક્ષ પદે યોજાશે. સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ હીરાભાઈ ફેફર તથા દીપકભાઈ સુરાણી, વલમજીભાઈ રાજપરા, રમેશભાઈ કૈલા, ગોરધનભાઈ ચીકાણી, ડાયાલાલ બારૈયા, કેશવજીભાઇ જીવાણી, વિનોદભાઈ સુરાણી તથા વાત્‍સલ્‍ય મનીપરા દ્વારા અન્નપૂર્ણા સમિતિ સહિતᅠ ૨૧ સમિતિઓ બનાવી સુંદર આયોજન કરાયેલ છે. દાતાઓ તરફથી કરિયાવરમાં સોના ચાંદીની વસ્‍તુઓ, રસોડા સેટ,ફર્નિચર, ઇલેક્‍ટ્રિક આઈટમ તથા ભગવત ગીતા અને રામાયણ ગ્રંથ સહિત ૬૫ આઈટમો અપાશે. તારીખ ૩ ના રોજ સવારે મંડપ મુહર્ત યોજાશે. જાન આગમન સાંજે ૫ કલાકે, હસ્‍તમેળાપ ૭ કલાકે અને રાત્રે કન્‍યા વિદાય અપાશે.નકલંક ધામ બગથરાના મહંત દામજી ભગત તથા સમાજના આગેવાનો આશીર્વાદ આપશે.

(11:25 am IST)