Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

કાલથી જામનગર જિલ્લાના તમામ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બે દિવસ બંધ રહેશે

તહેવારોને કારણે પૂરતી સંખ્યામાં મજૂરો ઉપલબ્ધ નહીં હોવાથી નિર્ણંય

જામનગર : હાલ જામનગર જીલ્લામાં કાર્યરત તમામ માર્કેટીંગ યાર્ડ ખાતે લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગેની કામગીરી ચાલી રહેલ છે. આગામી તા. ૩૦/૧૦/૨૦૨૦ થી તા. ૦૧/૧૧/ ૨૦૨૦ દરમ્યાન આવનાર તહેવાર તથા જાહેર રજાઓના કારણે પુરતી સંખ્યામાં મજુરો ઉપલબ્ઘ ન હોવાના કારણે તા. ૩૦/૧૦/૨૦૨૦ થી તા. ૦૧/૧૧/૨૦૨૦ દરમ્યાન લઘુતમ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગેની કામગીરી બંઘ રહેશે. તા. ૦૨/૧૧/૨૦૨૦ થી આ કામગીરી રાબેતા મુજબ ચાલુ થશે જેની તમામ ખેડુત મિત્રોએ નોંઘ લેવા વિનંતી છે.તેમ જિલ્લા  પુરવઠા અઘિકારીની યાદીમાં જણાવાયું છે

(7:04 pm IST)