Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

મારા પિતા વિઠ્ઠલભાઈ રાદડિયાના કેશુભાઈ પટેલ ખરા અર્થમાં માર્ગદર્શક હતા , એમના જવાથી અમારા રાદડીયા પરિવાર માં મોટી ખોટ પડી :રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલનુ નિધન થતાં કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ શોક વ્યક્ત કર્યો

 

ફાઈલ તસવીરમાં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ  સાથે વિઠ્ઠલભાઈ રાદડિયા ,જયેશભાઇ રાદડીયા, લલીતભાઈ રાદડિયા વિગેરે નજરે પડે છે.

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી: રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સોમનાથ ટ્રસ્ટના ચેરમેન કેશુભાઈ પટેલનું અચાનક નિધન થતા સમગ્ર ગુજરાતમાં શોક છવાયો છે ત્યારે રાજ્યના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ શોક વ્યક્ત કરતા જણાવેલ કે મારા પિતાશ્રી વિઠ્ઠલભાઈ રાદડિયાના ખરા અર્થમાં માર્ગદર્શક એવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ નું આજે અચાનક અવસાન થતાં અમારા રાદડીયા પરિવાર માં શોક છવાયો છે કારણકે અમારી રાજકીય કારકિર્દીના માર્ગદર્શક અને અમોને હમેશા હુંફ આપનારા કેશુભાઈ પટેલ આજ અમારી વચ્ચે રહ્યા નથી ત્યારે અમોને તથા તમારા પરિવારને ઘણું દુઃખ થયું છે  પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના વ્યક્ત કરી હતી

 

(2:34 pm IST)