Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ગિરનાર બાદ હવે ચોટિલા ડુંગર પર રોપવે બનશેઃ મુખ્યમંત્રી રૂપાણીએ આપ્યો સંકેત

સરકાર ટૂંક સમયમાં ચોટિલા ડુંગર પર રોપવેનો પ્રોજેક્ટ હાથ ધરશે.: હાલમાં વિચારણાધીન

ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજયભાઈ  રૂપાણીએ જણાવ્યું હતું કે ગિરનાર રોપવે સફળતાપૂર્વક શરૂ થયા પછી સરકાર ટૂંક સમયમાં ચોટિલા ડુંગર પર રોપવેનો પ્રોજેક્ટ હાથ ધરશે. આ બાબત હાલમાં વિચારણાધીન છે. ચોટિલા પર રોપવે શરૂ કરવામાં આવશે તો તેની સાથે આ સ્થળ ગુજરાતમાં રોપવેની સગવડ ધરાવતું ત્રીજું સ્થળ બની જશે. ગિરનાર રોપવેનું વડાપ્રધાન દ્વારા તાજેતરમાં જ ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું છે

(11:18 pm IST)